અમદાવાદમાં કરાઈ કારગિલ દિવસની ઉજવણી, કારાયું વૃક્ષારોપણ
Live TV
-
અમદાવાદમાં યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયે ભારત સરકાર દ્વારા હોમ ગાર્ડસ પશ્ચિમ ડિવિઝન ,અમદાવાદ શહેરના સહયોગથી નવરંગપુરા હોમ ગાર્ડ્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે કારગિલ વિજય દિવસ - 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જાગૃકતા રેલી અને એક પેડ માઁ કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
નવરંગપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડ અધિકારી/જવાનો તથા માય ભારત સ્વયંસેવકોની સાથે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈનચાર્જ ડિવિઝન કમાન્ડન્ટ કિરીટભાઈ વાઘેલા તથા ડામોર સોમા ભાઈના વક્તવ્ય આપ્યું
ડામોર સોમા ભાઈના વક્તવ્ય પછી એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ ભવ્ય જાગૃકતા રેલી કાર્યક્રમ પરેડ ગ્રાઉન્ડથી પંજાબી હૉલ અને ત્યાંથી નવરંગપુરા ચાર રસ્તા એ.એમ.કો.બેંક થી પરત નવરંગપુરા પરેડ ગ્રાઉન્ડ સુધીનો ફળ કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં હોમ ગાર્ડસ જવાનો અને માય ભારત સ્વયંસેવકો એ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
