અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ 22થી 24 માર્ચ દરમિયાન મઉ સ્ટેશને જ રોકાઈ જશે
Live TV
-
ઉત્તર પૂર્વ રેલવેના ઔંઢીહાર-ભટની સેક્શનમાં લાર રોડ અને સેલેમપુર સ્ટેશનો વચ્ચે ચાલી રહેલા ડબલિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ટ્રેન વ્યવહાર પર મોટી અસર પડી છે. અમદાવાદથી ઉપડતી અને ગોરખપુર જતી મહત્વની એક્સપ્રેસ ટ્રેનને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉત્તર પૂર્વ રેલવેના ઔંઢીહાર-ભટની સેક્શનમાં લાર રોડ અને સેલેમપુર સ્ટેશનો વચ્ચે ચાલી રહેલા ડબલિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ટ્રેન વ્યવહાર પર મોટી અસર પડી છે. અમદાવાદથી ઉપડતી અને ગોરખપુર જતી મહત્વની એક્સપ્રેસ ટ્રેનને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
ટ્રેન વ્યવહારમાં ફેરફારની વિગત:
અમદાવાદ–ગોરખપુર એક્સપ્રેસ (ટ્રેન નં. 19489): તારીખ 22 અને 24 માર્ચ 2026 ના રોજ આ ટ્રેન અમદાવાદથી ઉપડ્યા બાદ ગોરખપુર સુધી નહીં જાય, પરંતુ મઉ (Mau) સ્ટેશન પર જ અટકી જશે. મઉ અને ગોરખપુર વચ્ચેનો પ્રવાસ રદ રહેશે.
ગોરખપુર–અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન નં. 19490): તારીખ 23 અને 24 માર્ચ 2026 ના રોજ આ ટ્રેન ગોરખપુરને બદલે મઉ સ્ટેશનથી જ ઉપડશે.
મુસાફરો માટે સૂચના:
રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે પ્રવાસ કરતા પહેલા ટ્રેનના સ્ટોપેજ અને સમયની વિગતવાર માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી લેવી. ટ્રેક મેન્ટેનન્સ અને સુરક્ષાના હેતુથી આ બ્લોક લેવામાં આવ્યો છે.
