અરવલ્લી જિલ્લામાં સવારે વાતાવરણમાં અચાનક આવ્યો પલટો
Live TV
-
અરવલ્લી જિલ્લામાં સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા મેઘરજ અને માલપુર પંથકમાં માવઠું થયું હતુ.
છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું અને સવારના સમયે પવન પણ ફૂંકાતો રહ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે હવે માલપુર અને મેઘરજ તાલુકાના અનેક વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને મેઘરજના પહાડિયા અને રેલ્યો વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદથી ખેતરો ભીના બન્યા છે.
