અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવી લોકોની સુવિધા માટે સૂચન પેટીઓ મુકવામાં આવી
Live TV
-
જિલ્લા પોલિસ વડા સંજય ખરાત દ્વારા લોકોનો અભિપ્રાય મેળવવા સૂચન પેટીઓ જિલ્લાના 11 પોલીસ સ્ટેશન વિસ્તારના જાહેર સ્થળોએ મુકવામાં આવી છે, આ પેટી થકી લોકો પોલિસ માટે સૂચનો, જરૂરી માહિતી, તેમજ પોલિસ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપી શકે છે. આ અભિગમ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે, લોકો પાસે અભિપ્રાય લઈ શકાય. લોકો પોતાની ઓળખ છુપી રાખીને એવી કોઈપણ પ્રવૃત્તિ જેમાં ગુનાખોરી સામેલ હોય, જે લોકોના ધ્યાનમાં આવી હોય પણ હજી સુધી પોલીસની નજરથી દૂર હોય, અથવા જીલ્લા પોલીસની કામગીરીમાં કોઈ પણ પ્રકારના સુધારની જરૂર હોય તે તમામ જાણકારી આ પેટીમાં એક ચિઠ્ઠી દ્વારા આપી શકે છે.
