આજથી નવલા નોરતાનો પ્રારંભ, અંબાજી મંદિરમાં મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન
Live TV
-
આજથી નવલાં નોરતા નો આરંભ થઈ ચુક્યો છે. ત્યારે માં આદ્યશક્તિની ઉપાસના અને આરાધનાનો પર્વનોં પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. અંબાજી નીજ મંદિર માં વૈદીક મંત્રોચ્ચાર સાથે ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યુ હતુ.
જેનું સ્થાપન મંદિરનાં મુખ્ય ભટ્ટજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે ઘટ્ટ સ્થાપન વખતે ઉગાડવામાં આવતા જવારા નવ દિવસ માં કેટલાં ઉગે છે. તેના આધારે વિકાસ કેટલો થશે તેનો અંદાજનો ક્યાસ કાઠવાની માન્યતા પણ છે. આ સાથે પ્રથમ નોરતાની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી માની આરતીના દર્શનનો લાભ લીધો હતો
