આઠ નવેમ્બરે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી અને પાવાગઢમાં આરતીના સમયમાં ફેરફાર
Live TV
-
પાવાગઢમાં આઠ તારીખે સવારની આરતી ચાર વાગ્યે કરાશે.
આવતીકાલે આઠ નવેમ્બરે ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક વિધિ પર ગ્રહણનો વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે પાવાગઢ મંદિરમાં પણ દર્શન અને આરતીના સમય બદલાયા છે. પાવાગઢમાં આઠ તારીખે સવારની આરતી ચાર વાગ્યે કરાશે અને સવારે છ વાગ્યે મંદિર બંધ થશે. તે પછી સાંજે પોણા સાત વાગ્યે મંદિર ખુલશે અને સાંજે સાત વાગ્યે આરતી થશે. રાત્રે નવ વાગ્યે મંદિરના દર્શન બંધ કરવામાં આવશે, જેની ભાવિક ભક્તોને જાણ કરવામાં આવી છે.
