આણંદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 4 પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરાયું
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે રૂપિયા બેતાલીસ કરોડના જુદા જુદા ચાર પ્રોજેકટનુ ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અટલ બિહારી બાજપાઇની પ્રતિમાનું પણ અનાવરણ કરાયું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે આવનારા સમયમાં બીજી એકસો પચીસ કીલોમિટર લાંબી ગટર યોજના પ્રોજેક્ટ હાથ ધરવાની પણ વાત કહી હતી. આણંદ ખાતેના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ મિતેષ પટેલ જીલ્લા કલેક્ટર નગરપાલિકાના પ્રમુખ કાંતીભાઇ ચાવડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
