આ વર્ષનો નરસિંહ મહેતા એવોર્ડ કવિ વિનોદ જોશીને એનાયત
Live TV
-
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ દરવર્ષે શરદ પૂર્ણિમાની સાંજે ગરવા ગિરનારની ગોદમાં રૂપાયતન ખાતે યોજાય છે. આ વર્ષનો એવોર્ડ જાણીતા કવિ વિનોદ જોશીને મોરારીબાપુના હસ્તે સન્માનપત્ર સાથે રૂપિયા એક લાખ , 51 હજાર પુરસ્કાર આપવામાં આવે છે. નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક રઘુવીર ચૌધરીના વડપણ હેઠળના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિનોદ જોષીની કવિતા અને ગીતોનું પઠન અને કવિની કલમની ધારને લોકો સમક્ષ પ્રસ્તુત કરાઈ હતી.
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ દરવર્ષે શરદ પૂર્ણિમાની સાંજે ગરવા ગિરનારની ગોદમાં રૂપાયતન ખાતે યોજાય છે. આ વર્ષનો એવોર્ડ જાણીતા કવિ વિનોદ જોશીને મોરારીબાપુના હસ્તે સન્માનપત્ર સાથે રૂપિયા એક લાખ , 51 હજાર પુરસ્કાર આપવામાં આવે છે. નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક રઘુવીર ચૌધરીના વડપણ હેઠળના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિનોદ જોષીની કવિતા અને ગીતોનું પઠન અને કવિની કલમની ધારને લોકો સમક્ષ પ્રસ્તુત કરાઈ હતી.
