ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગાંધીનગરમાં ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું ઉદઘાટન કરશે
Live TV
-
25થી વધુ દેશોના 4,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે દ્વારા ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન'નું ઉદઘાટન કરશે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ ત્રણ દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય આયોજનમાં 25થી વધુ દેશોના 4,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને ICAIના અધ્યક્ષ અનિકેત તલાટી ઉદઘાટન સત્રમાં હાજર રહેશે. આ સંમેલનમાં 30થી વધુ સત્ર યોજાશે. ભારતીય વીમા નિયામક તથા વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ દેબાશીષ પાંડા સહિત અન્ય વક્તા તેમના વિચાર રજૂ કરશે.
ICAI ના પ્રમુખ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસ દરમિયાન, ઓડિટ, એકાઉન્ટિંગ, ટેક્સેશન, વેલ્યુએશન, ફોરેન્સિક્સ, એથિક્સ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા હાંસલ કરવાની રીતો જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતના લગભગ 4,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને લગભગ 200 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. સમારોહ દરમિયાન ICAI ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી-ગિફ્ટ સિટી, અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી - IFSCએ સાથે એમઓયુ કરશે.
