Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા આજે રાજકોટ ખાતે સાગર પરિક્રમા પર પુસ્તક અને વીડિયોનું વિમોચન કરશે

Live TV

X
  • પુસ્તકનો ઉદ્દેશ્ય સાગર પરિક્રમા યાત્રાની ઘટનાક્રમનો છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાના નેતૃત્વમાં સાગર પરિક્રમા એ એક મહાન અભિયાનની શરૂઆત કરાઈ હતી. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા આજે એન્જિનિયરિંગ એસોસિએશન, રાજકોટ, ગુજરાત ખાતે "સાગર પરિક્રમા" પર પુસ્તક અને વિડિયોનું વિમોચન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. સંજીવ કુમાર બાલ્યાન અને ડૉ. એલ. મુરુગન અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. પુસ્તકનો ઉદ્દેશ્ય સાગર પરિક્રમા યાત્રાની ઘટનાક્રમનો છે, જેમાં દરિયાઈ માર્ગ, સાંસ્કૃતિક અને ભૌગોલિક સંશોધનો અને સાગર પરિક્રમાના તમામ 12 તબક્કાઓની નોંધપાત્ર અસરો જેવા વિવિધ તત્વો પરની સામગ્રીનો સમાવેશ થાય છે.

    સાગર પરિક્રમા પરના પુસ્તકમાં સાગર પરિક્રમાની ઉત્પત્તિ, પશ્ચિમ કિનારા, પૂર્વ કિનારાની યાત્રાનું વિહંગાવલોકન અને મુખ્ય ટેક અવેઝને આવરી લેતા 7 પ્રકરણોનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજ દરિયાઈ માછીમારોના પડકારો, તેમની સંસ્કૃતિ, ભારતની ધાર્મિક અને પરંપરાગત મત્સ્યપાલન વિરાસતની સમજ આપશે. સમગ્ર સાગર પરિક્રમાનું ટૂંકી ફિલ્મોના સ્વરૂપમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જેમાં લાભાર્થીઓ સાથે કેન્દ્રીય મંત્રીની તમામ પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અને આદાનપ્રદાનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વીડિયોમાં સાગર પરિક્રમા દરમિયાન જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે પણ દર્શાવવામાં આવ્યો છે.

    સાગર પરિક્રમાનો ઉદ્દેશ માછીમારો સુધી તેમના સંબંધિત ઘરઆંગણે પહોંચવાનો, તેમની સમસ્યાઓ સમજવાનો અને તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવાનો, સરકારની વ્યવહારિક નીતિગત નિર્ણયોની જાણકારી આપવાનો, માછીમારીની સ્થાયી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોનો પ્રચાર કરવાનો છે.

    વૈશ્વિક મત્સ્ય ઉત્પાદનમાં 8% હિસ્સા સાથે, ભારત ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક, બીજો સૌથી મોટો એક્વાકલ્ચર ઉત્પાદક, સૌથી મોટો ઝીંગા ઉત્પાદક અને વિશ્વમાં ચોથો સૌથી મોટો સીફૂડ નિકાસકાર છે. સાગર પરિક્રમા યાત્રા માત્ર 44 દિવસમાં 12 થી વધુ મનોહર તબક્કાઓમાં ફેલાયેલી છે. આ યાત્રા એક ઐતિહાસિક કાર્યક્રમ બની ગયો હતો, જેણે ભારતના વિવિધ દરિયાકિનારાના ચાકળામાં સાવચેતીપૂર્વક શોધખોળ કરી હતી.સાગર પરિક્રમા યાત્રા 5મી માર્ચ, 2022ના રોજ "ક્રાંતિ સે શાંતિ" ના સૂત્ર સાથે શરૂ થઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply