કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ, ક્રુઝ બોટનું કરાશે લોકાર્પણ
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત ટુરિઝમ વિભાગ અવનવા આકર્ષણોનો ઉમેરો કેવડિયા ખાતે કરી રહી છે ત્યારે નર્મદા નદીમાં પ્રવાસીઓ બોટની મજા માણી શકે તે માટે ક્રુઝ બોટનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત ટુરિઝમ વિભાગ અવનવા આકર્ષણોનો ઉમેરો કેવડિયા ખાતે કરી રહી છે ત્યારે નર્મદા નદીમાં પ્રવાસીઓ બોટની મજા માણી શકે તે માટે ક્રુઝ બોટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આમ તો આ ક્રુઝ બોટનું લોકર્પણ 21 માર્ચ ના રોજ થવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે હવે 31 ઓક્ટોબરના રોજ બોટ લોકર્પણ થઈ જશે અને પ્રવાસીઓ કેવડિયા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટરના પાણી માર્ગે પ્રવાસ કરી શકશે. આ બોટ માં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જો કે હાલ કોવિડ 19 ની ગાઈડલાઈન ને પગલે એક કલાકમાં માત્ર 100 પ્રવાસીઓ ને જ પ્રવેશ આપવામાં આવશે. આ ક્રુઝ બોટ માં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તા ની પણ વ્યસ્થા કરવામાં આવી છે.આ ક્રુઝ બોટની ટિકિટ દર 413 રૂપિયા સુધી ની નક્કી કરવામાં આવી છે
