ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાના એક દિવસ પહેલા જ જામી ભક્તોની ભીડ
Live TV
-
ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાના એક દિવસ પહેલા જ જામી ભક્તોની ભીડ
જૂનાગઢમાં જય ગિરનારીના જયઘોષ સાથે લીલી પરિક્રમાનો શુભારંભ એક દિવસ પહેલા જ થઈ ગયો છે. લીલી પરિક્રમા સત્તાવાર રીતે આવતીકાલે કારતક સુદ એકાદશીથી શરૂ થશે. જોકે ભાવિકોનો ધસારો વધતા તંત્રએ એક દિવસ વહેલી પરિક્રમા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ગિરનારની તળેટીમાં પરિક્રમા માટે 25 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. લીલી પરિક્રમા માટે વન વિભાગ તેમજ પોલીસ વિભાગ ખડે પગે છે. પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક પ્રતિબંધનો તંત્ર દ્વારા કડક અમલ કરાવાઈ રહ્યો છે. લીલી પરિક્રમા દરમ્યાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
