આજથી રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
Live TV
-
આજથી રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
આજથી રાજયમાં ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.
ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3,33,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. રાજ્યમાં મગફળી માટે 160 સોયાબીન માટે 97, મગ માટે 73 અને અડદ માટે 105 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પાકોની નોંધણી અને વાવેતર વિસ્તારના આધારે મગફળી માટે 7, સોયાબીન માટે 6, અડદ માટે 8 તેમજ મગ માટે બે ખરીદ કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે.
