ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ યોજી પત્રકાર પરિષદ
Live TV
-
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે આજે ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ યોજી હતી. ગુજરાતમાં 4,90, 89,765 મતદારો નોંધાયા છે.
જેમાં તેમને ચૂંટણીને લઈને પત્રકાર મિત્રોને જાણકારી આપી હતી તેમણે જણાવ્યું હતું કે મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે ગુજરાતમાં 182 આદર્શ મતદાન મથક બનાવવામાં આવશે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત હોય તેવા 1274 સખી મતદાન મથક પણ અલગથી બનાવવામાં આવશે.
