ગાંધીનગર ખાતેથી “ટાઈપ-1 ડાયાબીટીસ નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી થશે શુભારંભ
Live TV
-
રાજ્યના બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ તા.24 ડિસેમ્બર,2025ના રોજ ગાંધીનગર ખાતેથી “ટાઈપ-1 ડાયાબીટીસ (જુવેનાઈલ ડાયાબીટીસ) નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ટાઈપ-1 ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર અને લાંબાગાળાની સંભાળ પૂરી પાડી તેમને કોમ્પ્લીકેશન મુક્ત અને ગુણવત્તાસભર જીવન આપવાનો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ટાઈપ-1 ડાયાબીટીસ એ લાઈફસ્ટાઈલ સંબંધિત નહીં પરંતુ એક ઓટો ઇમ્યુન અને બિનચેપી રોગ છે. આ રોગમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી, તેથી દર્દીએ જીવનભર ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય થઇ જાય છે.
