ગિરનારની તળેટીમાં યોજાનાર શિવરાત્રીના મેળાની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ તૈયાર
Live TV
-
ગિરનાર પર્વતની તળેટીમાં આગામી તારીખ પાંચમી માર્ચથી આઠમી માર્ચ સુધી પરંપરાગત શિવરાત્રિનો મેળો યોજાશે.
ગિરનાર પર્વતની તળેટીમાં આગામી તારીખ પાંચમી માર્ચથી આઠમી માર્ચ સુધી પરંપરાગત શિવરાત્રિનો મેળો યોજાશે. ત્યારે મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ યાત્રિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે માટે પોલીસે કવાયત શરુ કરી છે. ગઈકાલે સાંજે એસપી, ડીવાયએસપી, ભવનાથ પોલીસ, એસઓજી, એલસીબી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સલામતી માટે બોંબ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્ક્વોર્ડ દ્વારા ભવનાથમાં વિવિધ ધાર્મિક સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.
