ગુજરાતના પ્રખ્યાત વરિષ્ઠ ફોટોજર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું 96 વર્ષની વયે નિધન
Live TV
-
ગુજરાતના પ્રખ્યાત વરિષ્ઠ ફોટોજર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું 96 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું છે. તસવીરની સાથે એ ઘટનાના આબેહુબ રસપ્રદ વર્ણન માટે તેઓ ખૂબ જાણીતા હતા. તેમના વિશેષ યોગદાન માટે વર્ષ 2018માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.અખબાર જગતમાં લાંબી કારકીર્દિ દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટર પર એક શોક સંદેશમાં જણાવ્યું હતું કે, ગુજરાતના જાણીતા ફોટો જર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
