ગુજરાતમાં જવેલર્સોનું 300 કરોડનું ડ્યુટી ચોરીનું કૌભાંડ આવ્યુ સામે
Live TV
-
મુંબઈના કેટલાક વેપારીઓ કસ્ટમ ડ્યુટી અને જીએસટી ભર્યા વિના કુરિયર અને એરલાઈન્સ મારફતે અમદાવાદ, કચ્છ, રાજકોટ અને સુરતના વેપારીઓને મોકલતા હતા સોનુ, મુંબઈની CGSTની એન્ટી ઈવેઝિંગની કાર્યવાહી
મુંબઈની C.G.S.T. ની એન્ટી ઈવેઝિંગ વિંગે ગુજરાત રાજ્યમાં જવેલર્સ દ્વારા રૂપિયા 300 કરોડનું ડયુટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. મુંબઈની ટીમે અમદાવાદ, કચ્છ, રાજકોટ અને સુરત ખાતે આ સંદર્ભમાં તપાસ આદરી હતી. આ કિસ્સામાં મુંબઈના કેટલાક વેપારી એસ.ઈ.ઝેડ તેમજ દાણચોરીથી આવતું સોનું 11 ટકા કસ્ટમ ડયુટી અને 3 ટકા જીએસટી ભર્યા વિના કુરિયર તેમજ જુદી જુદી એરલાઈનની મદદથી ગુજરાતના વેપારીઓને મોકલતા હતા. જવેલર્સ ઝડપાય નહીં તે હેતુસર કુરિયર એજન્ટ તમામ વ્યવહાર પોતાને નામે કરતો હતો. C.G.S.T. વિભાગ હવે કૌભાંડમાં સંડોવાયેલા જવેલર્સ, વેપારીઓને શોધી રહી છે.
