ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ, જ્યારે 389 દર્દીઓએ આપી કોરોનાને માત
Live TV
-
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. રાજ્યમાં આજે કોરોનાના નવા 510 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 317 પોઝિટિવ કેસ આવ્યા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 82 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 389 દર્દીઓ સાજા થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે.ગત 24 કલાકમાં 31 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1592 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે.
અમદાવાદ ૩૧૭
સુરત ૮૨
વડોદરા ૪૩
ગાંધીનગર ૧૧
ભરૂચ ૯
જામનગર ૭
આણંદ ૬
અરવલ્લી ૫
પાટણ ૫
ભાવનગર ૪
બનાસકાંઠા ૩
નવસારી ૩
સાબરકાંઠા ૨
પંચમહાલ ૨
અમરેલી ૨
રાજકોટ ૧
ખેડા ૧
બોટાદ ૧
સુરેન્દ્રનગર ૧
જુનાગઢ ૧
નર્મદા ૧
મોરબી ૧
અન્દ્ય રાજ્ય ૨
