ગુજરાતમાં વિવિધ બેંકોનાં એ.ટી.એમ.માં વર્તાય છે રોકડની તંગી
Live TV
-
શહેરના ચાર જેટલાં એ.ટી.એમ. છે અને તેમાં પણ કેશ ન હોવાની ફરીયાદ,તો લગ્નસરાની સિઝનમાં પણ એટીએમમાં પૈસા ન આવતા લોકોમાં રોષ
ગુજરાતમાં વિવિધ બેંકોનાં એ.ટી.એમ.માં રોકડની તંગી વર્તાય છે. યાત્રાધામ અંબાજીમાં પણ હજ્જારો શ્રદ્ધાળુઓ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. શહેરના ચાર જેટલાં એ.ટી.એમ. છે અને તેમાં પણ કેશ ન હોવાની ફરીયાદ સામે આવી રહી છે. ઉપરાંત લગ્નસરાની સિઝનમાં પણ એટીએમમાં પૈસા ન આવતા લોકોમાં રોષ છે. આ મામલે બેંકના સત્તાધીશોનું કહેવું છે, કે હાલના સમયમાં ખેતીવાડી અને પાક માટે મોટા ધિરાણો થતા હોય છે. તે પણ આ તંગીનો એક ભાગ હોઈ શકે છે..
