ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો હવે છોડવામાં આવશે
Live TV
-
પણ જો લોકડાઉનના કાયદાનો ભંગ કરવામાં આવશે તો વાહન જપ્ત કરવાની કાર્યવાહી યથાવત રહેશે
ગુજરાતમાં લોકડાઉનના કાયદાનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરીને તેમના વાહનો જપ્ત કરવા સુધીની આકરી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.ત્યારે ગુજરાત પોલીસે જપ્ત કરાયેલા વાહનોને છોડાવવાની કામગીરી શરુ કરવામાં આવશે. સાથે સાથે ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યુ હતુ કે લોકોને મુશ્કેલી ન પડે તે માટે વાહનો છોડાવવામાં આવી રહ્યા છે. પણ જો લોકડાઉનના કાયદાનો ભંગ કરવામાં આવશે તો વાહન જપ્ત કરવાની કાર્યવાહી યથાવત રહેશે. સાથે સાથે એમ્બ્યુલન્સ , ટ્રક કે ટેન્કરમાં માણસોની હેરફેરના કિસ્સા બહાર આવ્યા છે. જેને લઇને તાકીદ કરી છે કે જો આ પ્રકારની હરકત કરનારા વાહનચાલકો, વાહનના માલિકો સામે પણ ગુનો નોંધવામાં આવશે.
