વેપારીઓ અને કમિશન એજન્ટોને પાસ ઇસ્યુ કરી રાંજકોટ માર્કેટ યાર્ડને ૧૫ એપ્રિલથી શરુ કરવામાં આવશે
Live TV
-
કોઇ પ્રકારની ગેરવ્યવસ્થા ન થાય તે માટે વેપારીઓ અને કમિશન એજન્ટને પાસ ઇસ્યુ કરવામાં આવશે
રાંજકોટ શહેરની ભાગોળે આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડને ૧૫ એપ્રિલથી શરુ કરવાના નિર્ણયને રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર અને યાર્ડના સંચાલકોએ સર્વાનુંમતિ આવકાર્યો છે. રાજકોટ જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ દુરદર્શન સાથેની ખાસ વાતમાં જણાવ્યુ હતુ કે ૧૫ એપ્રિલતી અનાજ અને કઠોળના વેચાણ માટે યાર્ડ શરુ કરવામાં આવશે.યાર્ડમાં કોઇ પ્રકારની ગેરવ્યવસ્થા ન થાય તે માટે વેપારીઓ અને કમિશન એજન્ટને પાસ ઇસ્યુ કરવામાં આવશે. અને સૌથી મહત્વની વાત એ છે યાર્ડમા ખેડુતો નહી આવે પણ વેપારીઓ સીધા ખેડૂત પાસે અનાજ અને કઠોળની ખરીદી કરશે. જેથી ભીડ ન થાય અને સોશિયલ ડીસ્ટન્સ જળવાઇ રહેશે. આ પેટર્નથી રાજ્યની અન્ય એપીએમસી પણ શરુ થવાની શક્યતા છે.
