ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં પેનલ્ટી માફીની મુદત લંબાવાઈ
Live TV
-
'આઝાદી કા અમૃત મહોત્સવ યોજના' અંતર્ગત 100 ટકા પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ યોજના' અંતર્ગત 100 ટકા પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેમજ સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે વાર્ષિક 8 ટકાના વ્યાજ દરે પેનલ્ટીની જોગવાઇના કારણે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્ટ પણ હાથ ધરી શકાશે.
