ગૃહરાજ્યમંત્રીના હસ્તે વનમહોત્સવની કરાઈ શરૂઆત
Live TV
-
ગુજરાત પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોતાના કાર્યની સાથે પર્યાવરણને બચાવવાનું પણ કામ કરે છે. આજે અમદાવાદ ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે, પોલીસ વિભાગના રાજ્યવ્યાપી વનમહોત્સવની શરૂઆત કરવામાં આવી. સૂચિત બોડકદેવ પોલીસ સ્ટેશનની જગ્યામાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી શિવાનંદઝા, તથા અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘના હસ્તે જાપાની મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-ઇન્કારનેટ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો જે અંતર્ગત પોલીસ વિભાગ હવે ઇ-ઘન કચરો પોલીસ સ્ટેશનો મારફત એકઠો કરશે, જેના પરિણામ સ્વરુપે ઇલેસ્ટ્રોનિક્સ ગેઝેટનો દુરઉપયોગ ઘટશે, અને તેના નિકાલથી પર્યાવરણનો પણ બચાવ થશે.
