છોટા ઉદેપુરઃ ડુંગર નવડાવવાની માનતા નહી રાખવા જંગલ વિભાગે કરી અપીલ
Live TV
-
છોટા ઉદેપુરઃ ડુંગર નવડાવવાની માનતા નહી રાખવા જંગલ વિભાગે કરી અપીલ
છોટા ઉદેપુર જિલ્લામાં ડુંગર નવડાવવાની અંધશ્રધ્ધાના પગલે રાષ્ટ્રીય સંપત્તિને થતુ નુકસાન અટકાવવા અને પર્યાવરણની જાળવણી કરવા વન વિભાગે અપીલ કરી છે. છોટા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં ડુંગર નવડાવવાની માનતા રખાતી હોય છે જેમાં ડુંગર પર આગ લગાવવામાં આવે છે. આ આગ બાદમાં વિકરાળ સ્વરુપ ધારણ કરે છે અને તેનાથી જંગલમાં વસતા પશુઓ ભયભીત થઈને માનવ વસતી તરફ આવી ચડે છે. ઘણી અલભ્ય વનસ્પતિ પણ આ આગમાં બળીને ખાખ થઈ જાય છે. છોટા ઉદેપુરની ભુમિ પર મહુડાના વૃક્ષો સચવાયેલા છે અને મહુડાના ફુલ તેમજ ડાળીમાંથી સ્થાનિક આદિવાસીઓ હજારો રુપિયાની કમાણી પણ કરતા હોય છે ત્યારે આ પ્રકારે ડુંગર નવડાવવાની માનતા નહી રાખવા જંગલ વિભાગે અપીલ કરી છે.
