જામનગરઃ GPCBના ક્લાસ-1 અધિકારી ભાયા સૂત્રેજા સામે ACBમાં ગુનો
Live TV
-
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જામનગરના ક્લાસ વન અધિકારી ભાયાભાઈ સુત્રેજા સામે એસીબીમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમની પાસેથી ગત 10 જૂલાઈના રોજ પાંચ લાખ રોકડા મળી આવ્યાં હતાં. ત્યાર બાદ એન્ટી કરપ્શન બ્યૂરોએ વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તેમના બેંકના લોકરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળીને રૂ. 1 કરોડ 27 લાખ 95 હજારથી વધુની માલમત્તા મળી આવી હતી. આ મિલકત બાબતે તેઓ વાજબી ખુલાસો અને દસ્તાવેજી પુરાવા રજુ ન કરી શકતા તેમનાં વિરૂદ્ધ ગાંધીનગર એસીબીમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
