જામનગરમાં કુલ 155 કરોડના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રીએ ઈ-લોકાપર્ણ અને ભૂમિપૂજન કર્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જામનગરમાં કુલ 155 કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાપર્ણ અને ભૂમિપૂજન કર્યું હતું. જેમાં જામનગર મહાનગરમાં EWS આવાસ સહિત ડ્રેનેજ અને પાણીની નવી પાઇપલાઇનના તથા ઐતિહાસિક ભુજીયા કોઠાના નવીનીકરણના કાર્યો કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની મહત્વપૂર્ણ જનહિત યોજના નલ સે જળ અન્વયે ગુજરાતમાં 75 ટકા લોકોને ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવામાં દેશભરમાં આ યોજનામાં ગુજરાત અગ્રેસર છે. ત્યારે રાજ્યમાં કોઇપણ વ્યક્તિને ફ્લોરાઇડ કે ક્ષારયુક્ત પાણી પીવું ના પડે તેવી નેમ સાથે ડંકી મુક્ત ગુજરાતનો મુખ્યમંત્રીએ કોલ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતેથી ડિજીટલ રીતે આ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી આર. સી. ફળદુ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
