જામનગર અને દેવભુમિ દ્વારકામાં ઠેરઠેર પાણી અને ઘાસચારાની વ્યાપક તંગી
Live TV
-
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ઓછો થતાં અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને ખાસ કરીને ઠેરઠેર પાણી અને ઘાસચારાની વ્યાપક તંગી જોવા મળી રહી છે. ગતવર્ષ ચોમાસું નબળું રહેતા સૌરાષ્ટ્ર સહીત જામનગર જીલ્લાની સ્થિતિ પીવા અને સિંચાઇના પાણીને લઈને ભારે ગંભીર બની છે. ઉપરાંત જામનગર અને દેવભુમિ દ્વારકા અને ખાસ કાલાવડ વિધાનસભા હેઠળ આવતા ધ્રોલ અને જોડિયા તાલુકાને સરકાર દ્વારા અછતગ્રસ્ત તાલુકા તરીકે પણ જાહેર કરવામાં આવ્યા છે. છતાં જરૂરી વ્યવસ્થાઓનો અભાવના કારણે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણભાઇ મુછડીયા અને વિક્રમભાઇ માડમની આગેવાની હેઠળ પાણી અને ઘાસચારાની સમસ્યા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
