જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બે સિંહ અને ત્રણ દીપડાને આપવામાં આવી કોરોનાની રસી
Live TV
-
જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ ચિકિત્સકો દ્વારા બે સિંહ અને ત્રણ દીપડાને કોરોનાની રસી આપવામાં આવી. આ તમામ પ્રાણીઓમાં રોગ પ્રતિકારક શક્તિ કેટલી માત્રા બની છે, એના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. ઝુ તબીબ ડોકટર રિઝવાન કડીવારે જણાવ્યું હતું કે, રસી આપ્યાને 15 દિવસ થયા છતાં રસીની કોઈ આડઅસર આ સિંહ કે દીપડા ઉપર જોવા મળી નથી હવે આ તમામ પ્રાણીઓમાં રોગ પ્રતિકારક શક્તિ કેટલી ઉત્પન્ન થઈ છે એનો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને લોહીના નમૂના લઇને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પશુઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ કોરોના રસીનું અહીં પરીક્ષણ કરવામાં આવ્યું હતું..
