જૂનાગઢ સક્કરબાગ પાસે કેરીની 80થી વધારે જાતનું કરાય છે સંશોધન અને સંવર્ધન
Live TV
-
જૂનાગઢ સક્કરબાગ પાસે નવાબી કાળનું ઐતિહાસિક ફલ સંશોધન કેન્દ્ર કાર્યરત છે. જ્યાં કેરીની 80થી વધારે જાતનું સંશોધન અને સંવર્ધન થાય છે. વિશ્વફલક પર જીયોગ્રાફિકલ ઇન્ડીગેશન ગીર કેસર તરીકે પ્રચલિત કેસર કેરીનો ઈતિહાસ પણ રસપ્રદ છે. માંગરોળ વિસ્તારમાં સાલેભાઈએ સૌપ્રથમ ગોટલીમાંથી કલમ તૈયાર કરીને કેસર કેરીનું ઉત્પાદન મેળવ્યું હતું. જૂનાગઢના નવાબને આ કેરીના ફળો પસંદ પડતાં તેમણે તેનું સંશોધન કરાવ્યું હતું. ત્યાર બાદ ખુબ જ કેરીના ગોટલામાંથી કલમો બનાવીને તેને મોટા પ્રમાણમાં તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ પણ જૂનાગઢના સંસોધન કેન્દ્ર ખાતે કલમો તૈયાર કરવામાં આવે છે. અને ખેડૂતોને ઓરીજનલ જાત અહીંથી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે.
