જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સહાય યોજના
Live TV
-
સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરનાર બાળકોને ધોરણ 6 થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે.
જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ દર વર્ષે પરીક્ષા મારફત 30,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. પસંદગી પામેલ સરકારી અથવા ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ 6-12 માટે વાર્ષિક ₹5,000 થી ₹7,000, જ્યારે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને ₹20,000 થી ₹25,000ની સુધીની સહાય મળે છે. આ રકમ DBT દ્વારા સીધી વિદ્યાર્થીઓ અથવા તેમના માતાપિતાના ખાતામાં ટ્રાન્સફર થાય છે. આમ, મુખ્યમંત્રીની આ યોજના પ્રતિભાશાળી વિદ્યાર્થીના સપનાઓને આર્થિક ટેકો આપી તેમના ભવિષ્ય નિર્માણને પાંખો આપવાનું એક માધ્યમ બની છે.
