દીવમાં 8 નવેમ્બરે યોજાવવા જઈ રહેલી ચૂંટણીમાં 23 બેઠક બિનહરીફ જાહેર થઈ
Live TV
-
દીવમાં 42 ગ્રામ પંચાયત અને 8 જિલ્લા પંચાયત સહિત કુલ 50 બેઠકો પર 8 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. જેમાંથી 23 બેઠક બિનહરીફ જાહેર થઈ છે.
દીવની વણાંકબારા ગ્રામ પંચાયત ચૂંટણીમાં 14 સભ્યો બિનહરીફ થતાં ભાજપમાં ખુશીની લાગણી જોવા મળી હતી. દીવના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારી નોંધાઈ નથી. ત્યારે કોંગ્રેસ તરફથી એકપણ ફોર્મ ન ભરાતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. જ્યારે કોંગ્રેસ મોવડી મંડળે આ અંગેની ગંભીર નોંધ લીધી છે. મહત્વનું છે કે, દીવ જિલ્લા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ગ્રામ પંચાયતમાં 58 અને જિલ્લા પંચાયતમાં 23 અને સરપંચ માટે 16 ફોર્મ ભરાયા હતા.
