તહેવારોની સીઝનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દુકાનો પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ
Live TV
-
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર એચ.જી કોશિયાએ જણાવ્યું હતું કે, હાલ તહેવારોની સીઝનમાં મીઠાઈઓમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન થાય અને રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે છેલ્લા બે દિવસથી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
દશેરા નિમિતે ફાફડા અને જલેબીની દુકાનોમાં ચેકિંગ કરી તેલ સહિત અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યના 33 જિલ્લામાં ફૂડ એન્ડ સેફટી ટિમ છે. સાથે જ તમામ જિલ્લા અને મનપા વિસ્તરણ ફૂડ સેફટીના અધિકારીઓને સૂચના આપી છે. આ ડ્રાઈવ હેઠળ તમામ હોટેલનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. સાથે જ કોવિડ 19 ગાઈડ લાઈન પાલન થઈ રહ્યુ છે કે નહિં તેની પણ તપાસ કરાશે.
