દેવભૂમિ દ્વારકાના દરિયાના પેટાળમાં કૃષ્ણની મૂળનગરીને શોધવા માટે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું
Live TV
-
સુરત જિલ્લાના ડભારી ગામ પાસે આવેલાં દરિયામાં ગોવા તેમજ ચેન્નાઇની આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષો પુરાણી મહાભારત કાળની કૃષ્ણનગરીના અવશેષો હોવાના પુરાવા મળ્યા.
આદિ અનાદિકાળથી ઇતિહાસ કહેતો આવ્યો છે કે હાલની દેવભૂમિ દ્વારકા પાસે દરિયાના પેટાળમાં કૃષ્ણની મૂળનગરી દટાયેલી છે. જેને શોધવા માટે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે. આ સંસ્થા તે સમયની ભાષામાં લખાયેલ હસ્તપ્રતો, વાસણો કે પથ્થરો ઉપર કોતરાયેલ ભાષા કે લીપીનું ભાષાંતરનું કામ પણ કરે છે. ત્યારે સુરત જિલ્લાના ડભારી ગામ પાસે આવેલાં દરિયામાં ગોવા તેમજ ચેન્નાઇની આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષો પુરાણી મહાભારત કાળની કૃષ્ણનગરીના અવશેષો હોવાના પુરાવા મળવ્યા છે. અહીં ડભારીમાં પણ દરિયાના પેટાળમાં એક દીવાલ શોધી જે દ્વારકા સુધી જતી હોય. એક નિષ્કર્ષ એવો આવ્યો છે કે, આ આદિકાળની કૃષ્ણ નગરી હોવી જોઇએ.
