ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન
Live TV
-
પાટણ જિલ્લામાં કામલપુર ગામે "હર ખેત કો પાની "સૂત્ર મુજબ નર્મદા યોજના અંતર્ગત થયેલી યુજીપીએલ યોજનાની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવી અને તે અંતર્ગત સંલગ્ન વિભાગને અપાયેલી સૂચના નર્મદાના કાર્યવાહક ઈજનેર આર.બી.મારવિયા પાટણ અને બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના કામલપુર ગામે "હર ખેત કો પાની "સૂત્ર મુજબ નર્મદા યોજના અંતર્ગત થયેલી યુજીપીએલ યોજના અંતર્ગત ની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. અને પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઇના ફાર્મની મુલાકાત લીધી હતી જ્યાં સેન્દ્રીય ખાતરનો પ્રયોગ ઉપરાંત ખારેક ની ખેતી પશુપાલન અને ખેડૂત વેલ્યુએડ કરી કઈ રીતે આવક બમણી કરી શકે તેનું નિદર્શન કર્યું હતું.
