નર્મદાઃ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વિદેશમંત્રીએ અદ્યતન સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ વાનની આપી ભેટ
Live TV
-
નર્મદાઃ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વિદેશમંત્રીએ અદ્યતન સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ વાનની આપી ભેટ
નર્મદા જિલ્લાની એક દિવસીય મુલાકાતે છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે નાંદોદના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અદ્યતન સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ ભેટ આપી છે. 10 ગામના લોકોને આરોગ્યલક્ષી સુવિધા આ એમ્બ્લુન્સ દ્વારા ઉપલબ્ધ થશે. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વર્ષ 2022 -23માં 23 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી થકી આ એમ્બ્યુલન્સ વાન ફાળવી હતી. 10 ગામોમાં અંદાજે 20 હજાર 43 જેટલી વસ્તીને આનો લાભ મળશે. વિદેશમંત્રીએ અગાઉ એકતાનગર ખાતે IHCL સ્કીલ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું.
