નર્મદાના પોઇચા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરાઈ
Live TV
-
આજે નર્મદાના પોઇચા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ગુજરાતના નીલકંઠ ધામ સ્વામિનારાયણ મન્દિર ખાતે મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરવામાં આવી અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યો હતો. રાજસ્થાન જનમંચના ઉપક્રમે મેળવેલ સિદ્ધિ પર પ્રમુખ કૈલાસ સોનીએ જણાવ્યું હતું કે આ પહેલા પણ 130 ફૂટ લંબાઈ અને 31.45 કિલોગ્રામ વજનની માળા દ્વારા રેકોર્ડ બનાવાયો હતો. તેનો રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપીત કર્યો છે. 400 કિલો વજનના ત્રણ પ્રકારના ફૂલોનો હાર મંદિરના ગુમ્બજ પર અર્પિત કરાયો છે. સફેદ, પીળા અને કેસરી ગલગોટાના ફૂલો અને આસોપાલવના લીલા તોરણ સાથે તિરંગાના રંગે રંગાએલ આ માળા, વડોદરાના પ્રખ્યાત 50થી વધુ કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે.
