નવા વર્ષની શરૂઆતમાં CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આવેલ પંચદેવ મંદિરમાં કર્યા દર્શન
Live TV
-
નવા વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આવેલ પંચદેવ મંદિરમાં દર્શન કર્યા હતા અને શહેરીજનોને નવુ વર્ષ સારૂ નિવડે તેને લઈ પ્રાર્થના પણ કરી હતી. વિક્રમ સંવત 2082ની આજથી શરૂઆત થઈ છે.
મુખ્યમંત્રી નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા અને સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રીએ આજે સવારે પંચદેવ મંદિરના દર્શન કર્યા હતા.ગાંધીનગર સેક્ટર 22માં આવેલુ છે પંચદેવ મંદિર અને ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે, નવુ વર્ષ દરેક ગુજરાતીઓને ફળે તેવી પ્રાર્થના અને નવી આશા,અરમાન, આકાંક્ષાઓ ફળે અને સ્વદેશી ખરીદી પર લોકોએ મહોર લગાવી છે દેશવાસીઓએ, આત્મનિર્ભરનો સંકલ્પ પુરો કરવા ગુજરાતીઓ તૈયાર છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે.
