નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને રજૂ થશે ગુજરાતના 'ધોરડો'ની ઝાંખી
Live TV
-
ધોરડોના 'ભૂંગા' તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા સહિત ઝાંખીના મુખ્ય આકર્ષણ હશે.
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. ચાલુ વર્ષે ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ટેબ્લો ગુજરાતની ઝાંખી રજૂ કરશે.
આ ટેબ્લોના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો... ધોરડોના 'ભૂંગા' તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, 'રણ ઉત્સવ', ટેન્ટ સિટી અને યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' સમા ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ, ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા આ ટેબ્લો થકી વિકસિત ભારત'ની પરિકલ્પનાને મૂર્તિમંત કરતાં દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
