નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અમદાવાદ ખાતે યોજી જી.એસ.ટી. અંગેની સમીક્ષા બેઠક
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અમદાવાદ ખાતે રાજ્ય વેરાભવન ખાતે જી.એસ.ટી. અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. જયાં તેમણે વેચાણવેરાના બદલાયેલા વિવિધ સ્વરૂપ કાયદા અમલીકરણની પદ્ધતિઓ, ઉઘરાણી વગેરે અંગેના કર માળખામાં જે પરિવર્તન છે તેના સુચારૂં અમલીકરણમાં રાજ્ય દેશણાં અગ્રેસર રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશણાં આર્થિક- નાણાંકીય સક્ષમતા ધરાવતું દેશનું અગ્રીમ હરોળ રાજ્ય છે. નાયબ મુખ્યમંત્રીએ આ અવસરે નવીનીકરણ પામેલા કરવેરા ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ કરવેરાના મુખ્ય કમિશનર પી.ડી. વાઘેલા, કમિશનર સમીર વકીલ, તેમજ કરવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
