પંચમહાલમાં આવેલ પાનમ જળાશય દ્વારા પાણી છોડતા મહીસાગરની પાનમ નદી બે કાંઠે
Live TV
-
પંચમહાલ માં આવેલ પાનમ જળાશય દ્વારા પાણી છોડતા મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસેની પાનમ નદી બે કાંઠે જોવા મળી રહી છે. પાનમ ડેમ ના 8 દરવાજા 15 ફૂટ સુધી ખોલી 1,70,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાતા નદી બે કાંઠે વહી રહી છે.ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે પાનમ ડેમમાં પાણી ની આવક વધી.
પાણીની આવકમાં તબક્કાવાર વધારો થતાં રુલ લેવલ જાળવવા માટે 8 દરવાજા 15 ફૂટ સુધી ખોલી 1,70,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું. લુણાવાડા નગરને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ નદીમાં નવા નીર આવતા નગર જનો માં ખુશી. પાનમ જળાશય દ્વારા પાણી છોડાતા મહીસાગરના નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના અપાઈ.
