પંચમહાલ, મહિસાગર જિલ્લાના ધરતીપુત્રોને સિંચાઇ માટે પાણી અપાશે
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલ અને મહિસાગર જિલ્લાના આદિજાતિ ગામ-વિસ્તારના ધરતીપુત્રોને સરળતાએ સિંચાઇ પાણી પુરૂં પાડવા નિર્ણય કર્યો છે. આ જનહિતકારી નિર્ણય અનુસાર પાનમ સિંચાઇ યોજનાના વધારાના પાણીથી પાનમ હાઇલેવલ કેનાલમાંથી પાઇપલાઇન અને ઉદવહન દ્વારા આ બે જિલ્લાના 38 ગામોના 53 તળાવો ભરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર રૂ. 216 કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણયને પરિણામે 10 હજાર હેકટર વિસ્તારમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે, જેથી આ બે જિલ્લાના 38 ગામોના અંદાજે 11 હજાર ખેડૂતો તથા 45 હજાર ગ્રામીણ વસ્તીને સિંચાઇનો લાભ મળશે.
