પાટણ દુર્ઘટનામાં મૃતકોને સહાયની જાહેરાત
Live TV
-
રાજ્યની સંવેદનશીલ સરકારે ગઈકાલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય મદદ તરીકે ફાળવી છે.
સમી તાલુકાના ગુજારવાડા ગામે ગત 17 તારીખના રોજ સોશ કૂવામાં ગરકાવ થઈ જતા એક જ પરિવારના પાંચ સભ્યો મોતને ભેટ્યા હતા. આ ગોઝારી ઘટનાને પગલે રાજ્યની સંવેદનશીલ સરકારે ગઈકાલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય મદદ તરીકે ફાળવી છે જેને ટૂંક સમયમાં જીલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા મૃતકના પરિવારજનોને આપવામાં આવશે. રાજ્ય સરકારની આ જાહેરાતને મૃતકના પરિવાજનોએ પણ સરાહના કરી દુઃખની આ ઘડીમાં સરકારે આપેલી સાંત્વના બદલ આભાર વ્યક્ત કર્યો છે.
