પીડીપીયૂનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો, અમિત શાહ રહ્યાં હાજર
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
પેટ્રોલિયમ દિન દયાળ યુનિવર્સીટીનો આજે સાતમો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ સિવાય રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે પીડીપીયુના 1000 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તો સાથે 4 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, આ વિદ્યાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું હતું. ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને આજથી નવી શરૂઆત કરવા માટે આહવાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાનું લક્ષ્ય મોટુ રાખવા કહ્યું હતું.
