Skip to main content
Settings Settings for Dark

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

Live TV

X
  • લોકલાડીલા નેતાની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. દિવંગત વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટના રેસક્રોસ મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન.

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે.  સ્વર્ગીય વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી તેમજ પુત્ર-પુત્રી સહિત સ્વજનો ભીની આંખે અને ભારેે હૈયૈ દિવંગત વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી હતી. અંતિમ સંસ્કાર અગાઉ સંપૂર્ણ રાજકીય માન સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાયમાન આપવામાં આવ્યું હતું. તે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલ,  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજકોટ ભાજપના નેતાઓએ સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. રાજકોટના રેડક્રોસ મેદાન ખાતે આજે 17 જૂનના રોજ દિવંગત વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા બપોરે 3થી 6 વાગ્યા સુધી પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.      

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદના મેઘાણીનગરમાં લંડન જતી ફ્લાઈટ ક્રેશ થતાં તેમાં નિધન થયું હતું. સોમવારે સાંજે તેમના રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વિજય રૂપાણી સાથે જોડાયેલી વાતોને તેમના સ્વજનો, મિત્રો તથા રાજકારણમાં તેમના સાથી રહેલા લોકો દ્વારા યાદ કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply