પોરબંદરઃ બરડા ડુંગરમાં આવેલ સાત વીરડામાં બે સિંહોના મોત
Live TV
-
પોરબંદરમાં બરડા ડુંગરમાં આવેલ સાત વીરડા ખાતે બે સિંહબાળના મોત થયા છે. સરિતા નામની સિંહણે અહીં એકસાથે ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ માદા અને એક નર સિંહબાળ હતા. આ ચાર બચ્ચાં પૈકી બે સિંહબાળ અશક્ત હોવાને કારણે તેમનું મોત થયું છે. વન વિભાગે આ બાબતને પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, એક નર અને માદા સિંહબાળનું મોત થયું છે. તો બાકી બે સિંહબાળને વધુ સારવાર માટે સક્કરબાગ એનિમલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
