પ્રધાનમંત્રી આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનું કરશે ઉદ્દઘાટન
Live TV
-
ગુજરાતની બે દિવસની મુલાકાતના આજે બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં 11મા ખેલ-મહાકુંભનું ઉદ્દઘાટન કરશે. 2010માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીપદે હતા ત્યારે, તેમણે વિવિધ 16 રમતો અને 13 લાખ સ્પર્ધકો સાથે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આજે પ્રધાનમંત્રી મોદી આ ખેલ-મહાકુંભમાં 36 સામાન્ય રમતો, અને 20 પેરા રમતોનો સમાવેશ કરાવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની નવી ખેલ નીતી પણ જાહેર કરશે. રાજયકક્ષાના આ ખેલ મહાકુંભ માટે 55 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
