પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી ગાંધીનગરથી મુંબઇ વચ્ચે ચાલતી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનને વાપી ખાતે સ્ટોપેજ અપાશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલી અને ગાંધીનગરથી મુંબઇ વચ્ચે ચાલતી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનને વાપી ખાતે સ્ટોપેજ અપાશે. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ વાપી ઔદ્યોગિક સંગઠન VI અને સલાહકાર સમિતિ દ્વારા કરાયેલ રજૂઆતને ધ્યાનામાં રાખીને આ નિર્ણય કરાયો છે. આ નિર્ણયને લીધે વાપી અને સંઘપ્રદેશ દમણ-સેલવાસના યાત્રીઓને તેમજ 22 હજારથી વધુ ઉદ્યોગોને ફાયદો થશે.
