પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે
Live TV
-
માતા હિરાબાના આશીર્વાદ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ માતા હિરાબાના આર્શીવાદ લેવા માટે આજે સાંજે 5.30 વાગ્યાની આસપાસ અમદાવાદની મુલાકાતે આવશે, તેવું પીએમ મોદીએ પોતાના ટવીટ માં જણાવ્યુ હતુ. માતા ના આર્શીવાદ લીધા બાદ, તેઓ અમદાવાદ ના ખાનપુર સ્થિત બીજેપીના જુના કાર્યાલયે જશે અને ત્યાં ના બીજેપી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. જન્મભૂમિની મુલાકાત બાદ મોદી પોતાની કર્મભુમિ વારાણસીની મુલાકાત કરશે અને પોતાના પર ફરી વિશ્ર્વાસ મુકવા બદલ વારાણસીની જનતાનો આભાર વ્યક્ત કરશે
