પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત નો 130 મો એપિસોડ રજૂ કરવામાં આવ્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત નો 130 મો એપિસોડ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગર વૃદ્ધાશ્રમ ખાતે વડીલોની ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ, મેયર, ધારાસભ્ય સહિતના લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.
પ્રધાનમંત્રી દ્વારા વિવિધ મુદ્દાઓ પર દેશની સિદ્ધિઓ, આરોગ્ય, ટેકનોલોજી,સ્વચ્છતા,વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ તેમજ મિલેટ્સ દ્વારા આરોગ્યનું જતન જેવી અનેક બાબતો પર વાતચીત કરવામાં આવી હતી. આ તકે વૃદ્ધાશ્રમમાં રહેતા એક વડીલોએ પ્રધાનમંત્રીના આ કાર્યક્રમને બિરદાવી કહ્યું હતું કે પ્રધાનમંત્રી દેશને ગતિ અને દિશા બંને આપી દેશને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે.
